- 1 જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે; સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
- 2 તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે; તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
- 3 યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે, અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.
- 4 મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજોે કરો, કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
- 5 મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે. તેનુંં નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
- 6 મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે, અને હૃદયમંા અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
- 7 મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે, અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
- 8 તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે કે તે પથારીમાં પડ્યો છે ઓટલે પાછો ઊઠવાનો નથી.”
- 9 મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
- 10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો; મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
- 11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે; તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
- 12 હું નિદોર્ષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો. તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.
- 13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે. આમીન તથા આમીન.
Psalms 041
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
ગીતશાસ્ત્ર પ્રકરણ 41